ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેરમાં આગામી 27 જૂનને અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાનશ્રી જગન્નાથજીની 27 મી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેર  દક્ષિણ પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફ સાથે સુભાષચંદ્ર બોઝ જગન્નાથજી રથયાત્રા સમિતિ અને શહેરના વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સંસ્થાના અને રાજકીય, સામાજિક આગેવાનો, આર.એસ.એસ.અને વિહીપના પદાધિકારીઓ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા બાબતે પોલીસ તરફથી સંકલન હાથ ધરી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન કરવા માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રા પૂર્વે રખડતા ઢોર, રસ્તા ઉપરના ખાડાઓ, વીજ વાયરો, વૃક્ષની ડાળીઓ વગેરે બાબતો ચકાસી જે તે વિભાગ દ્વારા તકેદારી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંકલન કરવામાં આવ્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *