કેન્દ્રને રાજ્યો વચ્ચે જીએસટી વિવાદ ઉકેલાયો
કોરોના મહામારી વચ્ચે જીએસટીની ઘટેલી આવક પછી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સર્જાયેલા વિવાદનો છેવટે ઉકેલ આવી ગયો છે. તમામ રાજ્યો કેન્દ્ર સરકારની યોજનામાં સામેલ થઇ ગયા છે. એક માત્ર ઝારખંડ બાકી હતું તેણે પણ ખાસ ધિરાણ વિન્ડો મારફત 1689 કરોડ મેળવીને વિવાદ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. હવે જીએસટી મુદે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઇ વિવાદ રહેતો નથી.