દેશમાં કોઈપણ વ્યક્તિ માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી તમે સરકારી અને બિન-સરકારી સહિત અનેક કામો કરી શકો છો. આધાર કાર્ડ મહત્વપૂર્ણ હોવાની સાથે તેને અપડેટ રાખવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે.આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, સાચી જન્મ તારીખ, સરનામું અને અન્ય માહિતી હોય છે. આવી સ્થિતિમાં, આ તમામ માહિતી સાચી અને અપડેટેડ હોવી જોઈએ. જેમ કે, જો તમે પરિણીત છો અને લગ્ન પછી તમારી અટક બદલાઈ ગઈ છે, તો તેને આધાર કાર્ડમાં અપડેટ કરવું જરૂરી છે. જો જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય, તો તેને પણ સુધારવી જરૂરી છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ વગેરે માહિતી મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 છે. આ પછી તમારે ફી ચૂકવીને આ કામ કરવું પડશે. UIDAI વેબસાઇટ દ્વારા અથવા આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને, તમે નામ, જન્મ તારીખ, સરનામું, અને લિંગ ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે અપડેટ કરી શકો છો. જો કે, બાયોમેટ્રિક વિગતો (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન) અને મોબાઇલ નંબર અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર જવું આવશ્યક છે.

