દેશમાં સતત પાંચમા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા,રિકવરી આંક 90 લાખને પાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં ગુરુવારે કોરોનાના 36 હજાર 546 નવા દર્દી નોંધાયા. 42 હજાર 973 સાજા થયા અને 541 લોકોનાં મોત થયાં. આ સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે 40 હજારથી ઓછા દર્દી નોંધાયા અને આનાથી વધુ સાજા થયા. અત્યારસુધીમાં 95.71 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 90.15 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.39 લાખ લોકોનાં મોત થયાં છે. કુલ 4.14 લાખ એક્ટિવ કેસ વધ્યા છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો 21 જુલાઈ પછી સૌથી ઓછા છે. ત્યારે કુલ 4.12 લાખ એક્ટિવ કેસ હતા. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ હવે 950 રૂપિયામાં થશે. સરકારે બે મહિનામાં બીજી વખત આ ટેસ્ટના ભાવ ઓછા કર્યા છે. ઓક્ટોબરમાં આની કિંમત 2250 રૂપિયાથી ઘટાડીને 1250 કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.