![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/11/XCVNVVX-960x640-1.jpg)
જયપુરમાં વિજળીની હાઈટેંન્શન લાઈનની ચપેટમાં આવી બસ,3 મુસાફરોના મોત
રાજધાની જયપુરના અચરોલ પોલીસ સ્ટેશનની હદમાં આતા વિસ્તારમાં શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક ખાનગી બસ વિજળીની હઈટેંશન લાઈનની ચપેટમાં આવી ગઈ છે. જેના કારણે કરંટ ફેલાયો હતો. ત્યાર બાદ બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ત્રણ લોકોના મોત પણ થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે આગની ચપેટમાં આવ્યા છે. દુર્ઘટનાનો શિકાર થયેલી આ બસ દિલ્હીથી જયપુર આવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ દુર્ઘટના અચરોલ નજીક બપોરે 12 કલાકની આસપાસ ઘટી છે. જ્યાં પેસેન્જરથી ભરેલી એક બસ દિલ્હીથી જયપુર આવી રહી હતી. આ દરમિયાન અચરોલના રસ્તેથી તે પસાર થઈ રહી હતી. જ્યાં વિજળીની હાઈટેંન્શન લાઈનની ટચ થઈ જતાં બસમાં આગ લાગી ગઈ હતી. આ આગની ચપેટમાં કેટલાય લોકો આવી ગયા છે. જ્યાં ત્રણ લોકોના તો મોત પણ થઈ ગયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.