આ વખતે, બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાંચ ખેલાડીઓનો સમાવેશ કર્યો. પરંતુ કેટલાક ખેલાડીઓને યાદીમાંથી બાકાત પણ રાખ્યા આ વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. 5 ખેલાડીઓ એવા છે જેમને પહેલી વાર BCCI તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. 5 ખેલાડીઓ એવા પણ છે જેમને ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું હતું પરંતુ આ વખતે તેમને બહાર રાખવામાં આવ્યા છે.
આર અશ્વિન; ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર 2024 માં બ્રિસ્બેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ભારત માટે કોઈપણ ફોર્મેટમાં રમી રહ્યો નથી, જેના કારણે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
શાર્દુલ ઠાકુર; સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ભારત માટે છેલ્લી મેચ ડિસેમ્બર 2023 માં રમી હતી, ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈજાના કારણે તે ભારતીય ટીમની બહાર હતો. આ કારણોસર, તેમને 2024-25 સીઝન માટે કેન્દ્રીય કરારની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. શાર્દુલ હાલમાં IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે.
આવેશ ખાન; આવેશ ખાન છેલ્લે નવેમ્બર 2024 માં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ભારત માટે રમ્યો હતો અને IPLની વર્તમાન સિઝનમાં લખનૌ માટે પણ સારો દેખાવ કરી રહ્યો છે. અવેશ 2022 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તે ભારત માટે 8 ODI અને 25 T20I રમી ચૂક્યો છે. આ ઝડપી બોલરને 2024-25 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
જીતેશ શર્મા; જીતેશ શર્માએ 2024 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે નવ ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં. એવું માનવામાં આવતું હતું કે તેને 2024 ના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે પરંતુ એવું બન્યું નહીં. આવી સ્થિતિમાં, આ યાદીમાંથી તેમનું બાકાત રહેવું લગભગ નિશ્ચિત હતું અને અંતે એવું જ થયું.
કે.એસ. ભરત; અન્ય એક ખેલાડી કેએસ ભરતને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવાની અપેક્ષા હતી. તે લાંબા સમય સુધી સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ ત્યાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. આ કારણોસર તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે.

