ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યે બે મિનીટમાં ભૂકંપના 2ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા

ગુજરાત
ગુજરાત

ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. 4 વાગ્યે 2ની તીવ્રતાનો એક આંચકો અને બીજો 4.02 વાગ્યે 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4 વાગ્યે આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 46 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. જ્યારે 4.02 વાગ્યે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 44 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું.

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અવારનવાર અનુભવાય રહ્યા છે. ત્યારે રાજકોટમાં 3 મહિના પહેલા ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 11.31 વાગે 1.5ની તીવ્રતાનો, બીજો આંચકો બપોરના 1.36 વાગે 1.6ની તીવ્રતાનો અને સાંજે 7.08 વાગે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નહોતું. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિમી દૂર નોંધાયું હતું.

16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.