ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. દુબઈમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાનું ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું અને સ્ટીવ સ્મિથની વનડે કારકિર્દીનો પણ અંત આવ્યો
વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સ્મિથ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ઉપલબ્ધ રહેશે. સ્મિથે 2010 માં વેસ્ટ ઈન્ડિઝ સામે લેગ-સ્પિન ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેની ઉત્તમ બેટિંગ કુશળતાને કારણે, તે ટૂંક સમયમાં જ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક બની ગયો. તેમણે ઓસ્ટ્રેલિયા માટે ૧૭૦ વનડે રમી અને ૪૩.૨૮ ની સરેરાશથી ૫૮૦૦ રન બનાવ્યા, જેમાં ૧૨ સદી અને ૩૫ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે ૩૪.૬૭ ની સરેરાશથી ૨૮ વિકેટ પણ લીધી.
ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા; ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે સ્ટીવ સ્મિથે કહ્યું કે આ તેમના માટે એક અદ્ભુત સફર રહી છે અને તેમણે તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો હતી. તેમણે કહ્યું કે બે વર્લ્ડ કપ જીતવું એ એક મોટી સિદ્ધિ છે અને ઘણા સાથી ખેલાડીઓએ આ સફર શેર કરી છે. 2027 ના વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની હવે એક શ્રેષ્ઠ તક છે, તેથી આ યોગ્ય સમય લાગે છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને તે ખરેખર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, વેસ્ટ ઇન્ડીઝ અને પછી ઘરઆંગણે ઇંગ્લેન્ડની રાહ જોઈ રહ્યો છે.


