ચક્રવાત ‘દાના’ની અસર સમાપ્ત, બંગાળ-ઓડિશામાં રાહત, કેરળમાં ભારે વરસાદની ચેતવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સાયક્લોન દાનની અસર પૂરી થયા બાદ વરસાદ બંધ થતાં અનેક વિસ્તારોમાં પાણી ઓછું થઈ ગયું છે, જેના કારણે લોકોને રાહત મળી છે. કોલકાતામાં શનિવારે સવારે 6:30 વાગ્યા સુધીના 24 કલાકમાં 152.8 મીમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ શુક્રવારે વહેલી સવારે પૂર્વ કિનારે ત્રાટક્યું, જેના કારણે મુશળધાર વરસાદ અને ભારે પવન, વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા ઉખડી ગયા અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાકને વ્યાપક નુકસાન થયું. વાવાઝોડું ગુરુવારે રાત્રે લગભગ 12.05 વાગ્યે ઓડિશાના કેન્દ્રપારામાં ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધામરામાં ત્રાટકવાનું શરૂ થયું હતું અને આ દરમિયાન લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની અસર સવારે લગભગ 8.30 વાગ્યા સુધી રહી હતી.

પશ્ચિમ બંગાળમાં ચાર લોકોના મોત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં વીજળી પડવા સહિત વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. કોલકાતામાં સ્થિતિ સુધરી છે પરંતુ હુગલી, બાંકુરા, ઝારગ્રામ અને પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ખેતરો ડૂબી ગયા હતા જેના કારણે ડાંગર અને બટાટા જેવા પાકને નુકસાન થયું હતું. IMDએ જણાવ્યું હતું કે પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર અને ઝારગ્રામ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે અને રવિવારથી હવામાનમાં સુધારો થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.