ધાનેરાના રવિયામાં પાઈપલાઈન તૂટતા ભીલવાસમાં પાણીનાં વલખાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના રવિયા ગામ ખાતે પાણી પીવા માટે વર્ષ ર૦રરમાં પરા વિસ્તાર ભીલવાસમાં રહેતા આશરે ૩૦ ઘરો માટે લાખોના ખર્ચે ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈન નાખવામાં આવી હતી તેમજ પાણી સંગ્રહ માટે સ્થળ પર ટાંકી બનાવવામાં આવી હતી. જે પાઈપલાઈન પ્રાથમિક શાળામાં થઈને પસાર થતી હતી પરંતુ શાળામાં બાંધકામ ચાલુ હોવાથી આ પાઈપલાઈન કોન્ટ્રા ક્ટરની બેદરકારીના લીધે તૂટી જવા પામી છે. જેના કારણે આ વિસ્તારની પ્રજા પાણી માટે વલખાં મારતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે લાગતા વળગતા સત્તાધીશોને જાણ કરી સત્વરે તૂટેલી પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પ્રજાજનોમાં ઊઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.