પાટણના હારીજ નજીક ની કુરેજાની નમૅદા કેનાલ મા દુપટ્ટો બાંધેલી હાલતમાં યુવક-યુવતીની તરતી લાશો મળી આવી

પાટણ
પાટણ

ડિઝાસ્ટર વિભાગ સહિત પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશોને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી

પાટણ જિલ્લાના હારીજ નજીક ની કુરેજા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશો મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે મંગળવારે આ કુરેજાની નર્મદાની મુખ્ય કેનાલમાં બે પ્રેમી પંખીડાની દુપટ્ટો બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવતાં ચકચાર મચી છે તો બનાવ ના પગલે પોલીસે ધટના સ્થળે દોડી જઈને બંને લાશોને બહાર કઢાવી તેનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડી લાશની ઓળખ વિધિ માટેની તપાસ કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુરેજા નજીક થી પસાર થતી નમૅદા ની મુખ્ય કેનાલ માથી લાશો મળી આવવાની ધટનાઓ સામે આવી રહી છે ત્યારે મંગળવારે  કુરેજા કેનાલ માથી યુવક યુવતીની લાશ મળી આવવાની જાણ સ્થાનિક લોકોએ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. અને બનાવની જાણ પોલીસ ને કરવામાં આવી હતી. તો બનાવના પગલે ડિઝાસ્ટાર વિભાગ ની ટીમ પણ ધટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બન્ને લાશને બહાર નીકાળવામાં આવી હતી.

પોલીસે બન્ને લાશોનુ પંચનામું કરી સિવિલ ખાતે ખસેડી લાશની ઓળખ વિધિ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કુરેજા નજીક ની નમૅદા કેનાલ માથી અવારનવાર મળી આવતી લાશોના સિલસિલા ને લઇ ને તંત્ર સહિત સ્થાનિકો મા અનેક શંકા કુશંકાઓ ઉદભવવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.