બનાસકાંઠા જીલ્લામાં અંબાજી ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રારંભ
‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા’ અને દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર મિહિર પટેલ
સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કરતાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે
રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે.
ત્યારે જિલ્લા કલેકટર મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી, ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો.
જિલ્લા કલેકટર મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે. જેમાં બે તબકકામાં કામ થવાનું છે. આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ ‘સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવી ‘ છે. દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે. દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા, અભિગમ કેળવશે, તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે.અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોધ્ધા ગણાવી મિહિર પટેલે મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી હતી.
Tags Ambaji Banaskantha cleanliness