કેરળમાં 3 દિવસીય સંઘની બેઠક, હિંદુઓ પર અત્યાચાર અને કોણ બનશે ભાજપ અધ્યક્ષ? જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાત
ગુજરાત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય સંયોજક બેઠક 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં યોજાવાની છે. ત્રણ દિવસીય અખિલ ભારતીય સંયોજક બેઠકમાં સંઘના તમામ સહયોગી સંગઠનોના અધિકારીઓ ભાગ લેશે. 31મીથી શરૂ થનારી બેઠક પૂર્વે નાની-મોટી બેઠકોનો દોર શરૂ થયો છે.

સંઘ સાથે જોડાયેલી 32 સંસ્થાઓના નેતાઓ ભાગ લેશે

નાની સભા જેને સંઘ ટોળી બેઠક કહે છે. તે બેઠકોનો પ્રવાસ આજથી શરૂ થયો છે. જેમાં સંઘ પ્રમુખ સહિત સરકાર્યવાહ અને તમામ 6 સહ-સરકાર્યવાહ અને કેન્દ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. સંઘ સાથે જોડાયેલી 32 અલગ-અલગ સંસ્થાઓના નેતાઓ તેમાં ભાગ લેશે.

જભાજપ, વીએચપી અને એબીવીપીના પદાધિકારીઓ હાજર રહેશે

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, મજદૂર સંઘ, કિસાન સંઘ, સ્વદેશી જાગરણ મંચના પ્રતિનિધિઓ મુખ્ય રીતે ભાગ લેશે આ બેઠકમાં રાષ્ટ્રીય, સામાજિક અને રાજકીય ધાર્મિક મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

બીએલ સંતોષ અને શિવ પ્રકાશ બેઠકમાં હાજરી આપવાના છે.
ભાજપ તરફથી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, રાષ્ટ્રીય સંયુક્ત સંગઠન મહાસચિવ શિવ પ્રકાશ અને રાષ્ટ્રીય ઓર્ગેનાઈઝર વી સતીશની ભાગીદારી નિશ્ચિત માનવામાં આવે છે. બેઠકમાં વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ તેમના કામની માહિતી અને અનુભવની આપ-લે કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.