12 ઇંચ જેટલો વરસાદ પડવા છતા મોડાસા થી 700 લોકો પગપાળા સંઘ 800 કિલોમીટર દૂર રણુજા જવા માટે નીકળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી પહોંચેલો મોડાસા નો પગપાળા સંઘ 12 ઇંચ જેટલો વરસાદ પડવા છતા મોડાસા થી 700 લોકો નો પગપાળા સંઘ મોડાસા થી 800 કિલોમીટર દૂર રણુજા જવા માટે નીકળ્યો

જ્યાં આસ્થા હોય તેવામાં કોઇ પણ જાતની ગમે તેવી મુશ્કેલી હોય તો પણ તે નડતી નથી: હાલ તબક્કે જે રીતે ભારે વરસાદ ની આગાહી અપાયેલી છે ને તેવામાં મોડાસા પંથક માં 12 ઇંચ જેટલો વરસાદ પડવા છતા મોડાસા થી 700 લોકો નો પગપાળા સંઘ મોડાસા થી 800 કિલોમીટર દૂર રણુજા જવા માટે નીકળ્યો છે આ સંઘ માં 111 ગજ ની ધજાઓ ને અખંડ જ્યોત સાથે નીકળેલો આ પગપાળા સંઘ આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યો હતો જ્યાં હનુમાનજી ના મંદિરે ભોજન પ્રસાદી માટે રોકાણ કર્યું હતું ને અંબાજી થી નીકળી 8 સપ્ટેમ્બર ના રોજ રણુજા પહોચી પોતાની સપ્તરંગી ધજા બાબા રામદેવજી ના મંદિરે અર્પણ કરસે એટલૂ જ નહીં આ પગપાળા સંઘમાં રજિસ્ટર થયેલા 700 મુસાફરો નું વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે.

જેમાં યાત્રિકો એ કોઇજ ચાર્જ ચૂકવવાનો હોતો નથી જે પગપાળા યાત્રા નું આયોજન કરે છે તેમના દ્વારા આ ખર્ચ કરી 800 કિલોમીટર ની યાત્રા માં જોડાયેલા તમામ યાત્રિકો ને વીમાકવચ પૂરું પાડવામાં આવ્યું છે. છેલ્લા 39 વર્ષજ થી નિયમિત મોડાસા થી રણુજા નીકળતો સંઘ હમણાં 40 માં વર્ષે પ્રવેશ ક્રયો હોવાનુ જશવંતભાઈ યોગી (રણુજા પગપાળા સંઘ આયોજક)મોડાસા એ જણાવ્યુ હતુ તેમની સાથે યોગી ધર્મેન્દ્ર ભાઇ પણ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.