પાટણની સરસ્વતી નદીમા નર્મદા ના નીર આવી પહોચતા વધામણા કરાયા

પાટણ
પાટણ

ભાજપ ના આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોઐ પૂજા- અચૅના કરી: પાટણ સરસ્વતી નદીમાં રવિવારે શિતળા સાતમના પવિત્ર દિવસે નમૅદા ના નીર આવી પહોંચતા ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પુજા અચૅના કરી વધામણા કયૉ હતાં.

પાટણ ની કોરી ધાકોર સરસ્વતી નદીમાં નમૅદા ના પાણી છોડવામાં આવતાં પાટણના નગરજનોએ ખુશી વ્યકત કરી સરસ્વતી ડેમ પર એકત્ર થઈ સરસ્વતી નદીમાં નમૅદા ના નીર ને ખળખળ વહેતાં  નિહાળી આનંદ વ્યકત કર્યો હતો. સરસ્વતી ડેમ ઉપર પાણીના (નીર)ના વધામણા માટે ના આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલીકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરસેવકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.