ધાનેરા તાલુકામાં નેશનલ હાઇવે પર મોટો ભુવો પડ્યો : અકસ્માતનો ભય
ધાનેરા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ૧૬૮એ પર વીંછીવાડી ગામના પાટિયા પર રોડમાં પોલાણ હોવાથી વરસાદી પાણીના કારણે રોડની સાઈડમાં મોટો ભુવો પડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનું જોખમ થઈ રહ્યું છે. છતાં તંત્ર દ્વારા આ ભુવાને પૂરવાની તસ્દી લેવામાં આવી રહી નથી
વીંછીવાડી ગામના પાટિયા પાસે લગભગ એક અઠવાડિયા પહેલા આ ભુવો પડ્યો હતો અને જ્યાં આ ભુવો પડ્યો છે. ત્યાં હાઇવે રોડ આજુબાજુની જમીન કરતા રોડ ઊંચો બનાવવામાં આવેલો છે. અને આ ભુવો પડતા ખાડાની ઊંડાઈ વધુ હોવાથી ગ્રામલોકો દ્વારા અહીં પસાર થતા વાહનનો અકસ્માત ના સર્જાય તે માટે એક તરફનો રોડ બંધ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. પરંતુ અહીં કોઈ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તે પછી ભુવાના ઊંડા ખાડાને પૂરવામાં આવશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.