સુપ્રિમ કોર્ટના ચુકાદાનો વિરોધ : બનાસકાંઠા અનુસૂચિત સમાજે આપ્યું આવેદનપત્ર
એસ.સી, એસ.ટી.અનામત વર્ગીકરણનો વિરોધ
બનાસકાંઠા અનુસૂચિત સમાજે આપ્યું આવેદનપત્ર; તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એસ.સી, એસ.ટી.ની અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેની સામે વિરોધ જતાવતા બનાસકાંઠા અનુસૂચિત સમાજ દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા એસ.સી, એસ.ટી કેટેગરીમાં અનામતના લાભ આપવામાં રાજ્ય સરકારોને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. જેની સામે બનાસકાંઠા અનુસૂચિત સમાજે વિરોધ જતાવ્યો છે. આ ચુકાદો એસ.સી, એસ.ટી.એકતાને તોડનારો હોવાનું જણાવતા અનુસૂચિત સમાજે આ ચુકાદો રદ કરવાની માંગ કરી હતી. એસ.સી., એસ.ટી.માં વર્ગીકરણ કરવાનો સુપ્રિમ કોર્ટનો ચુકાદો રદ નહિ કરાય તો દલિત સમાજે રોડ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.