મેઘરજ :  મૃતકના પરિવારજનોએ ચક્કાજામ, પંચનામાં વગર જ સાધનો હટાવવાના આક્ષેપ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વ્યક્તિ અકસ્માત થાય ત્યારે અકસ્માત સંદર્ભે સાધનો અને ઘટના સ્થળનું પંચનામું કરવું પડે પછી જ વાહનો હટાવતા હોય છે. ત્યારે મેઘરાજના મોટી પાંડુલી ગામે અકસ્માત બાદ પંચનામાં વગર જ સાધનો હટાવવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો હતો.

મેઘરજના મોટી પાંડુલી ગામે ગતરોજ સાંજના સમયે ડેડુલ મુકેશભાઈ ઢેકવા તરફથી રીક્ષા લઈને મેઘરજ તરફ જતા હતા. તે સમયે ખરાડી ફળિયા પાસે છીકારી તરફથી પુરપાટ ઝડપે બાઇક લઈને આવતા વરસોડા કિરણભાઈએ રીક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. જેથી રીક્ષા ચાલક ડેડુંલ મુકેશ ગંભીર રીતે ઘવાયો હતો. જેથી 108 દ્વારા સારવાર અર્થે લઈ જતા હતા. ત્યાં સુધી રસ્તામાં જ મુકેશ ડેડુંલનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ મૃતકના પરિવારજનો ફરિયાદ માટે મેઘરજ ગયા હતા. તેવામાં ઇસરી પોલીસ મથકના કર્મીઓ અકસ્માતના વાહનો ત્યાંથી કોઈ જ ફરિયાદ કે પંચનામાં વગર ત્યાંથી હટાવવામાં આવ્યા હોવાની માહિતી મળતા મેઘરજ પોલીસે ઇસરી પોલીસના માણસોને કહ્યું કે પંચનામું થયા વગર સાધનો ના હટાવાય એટલે પોલીસ કર્મીઓ વાહનો ત્યાં જ છોડી રવાના થયા હતા.

જેથી આ અકસ્માત બાબતે મૃતકના પરિવારજનોને કોઈ શંકા ગઈ છે તેથી ન્યાય ના મળે ત્યાં સુધી મોટી પાંડુલી મેઘરજ રોડ રોકીને ચક્કાજામ કર્યો હતો. મૃતદેહને પણ મેઘરજ પીએમ રૂમ આગળ મૂકીને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇનકાર કર્યો છે. આ સમગ્ર હકીકત મૃતકના કાકા ડેડુલ થાનાભાઈ લીંબાભાઈએ જણાવી હતી.

આ અંગે ઇસરી પોલીસને પૂછતાં જણાવ્યું હતું કે, મોટી પાંડુલી પાસે અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. તેમજ આ બાબતે સ્થળ સ્થિતિ તપસ્યા બાદ ફરિયાદ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.