મોદી સરકારમાં સચિવ સ્તરે મોટા ફેરફાર, આરકે સિંહ નવા રક્ષા સચિવ

ગુજરાત
ગુજરાત

સ્વતંત્રતા દિવસ 2024 ના બીજા જ દિવસે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સચિવ સ્તરે મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકારે આરકે સિંહને નવા સંરક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. દેશના વર્તમાન સંરક્ષણ સચિવ અરમાની ગિરધરની નિવૃત્તિ બાદ આરકે સિંહ 31 ઓક્ટોબરે દેશના નવા સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. જ્યારે કે શ્રીનિવાસને હાઉસિંગ અને અર્બન સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સિવાય વિવેક જોશીને પર્સનલ સેક્રેટરીનો હવાલો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા નવા અધિકારીઓની વિભાગોમાં ફેરબદલ કરવામાં આવી છે.

દીપ્તિ ઉમાશંકર રાષ્ટ્રપતિના સચિવ

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 20 જેટલા સચિવોના વિભાગો બદલવામાં આવ્યા છે. પુણ્ય સલિલ શ્રીવાસ્તવને નવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સચિવનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે દીપ્તિ ઉમાશંકર રાષ્ટ્રપતિના સચિવ બન્યા છે. નાગરાજુ મદિરાલાને નાણાકીય સેવા સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રાલયમાં પણ ફેરબદલ

કેબિનેટની નિમણૂક સમિતિએ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગમાં વિશેષ ફરજ પરના અધિકારી તરીકે રાજેશ કુમાર સિંહની નિમણૂકને મંજૂરી આપી છે. આ ઉપરાંત, નિમણૂક સમિતિએ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂકને મંજૂરી આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.