આસારામને મોટી રાહત, રાજસ્થાન હાઈકોર્ટે આટલા દિવસોની આપી પેરોલ
જોધપુરઃ યૌન ઉત્પીડનના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામને 7 દિવસની પેરોલ આપી છે. આસારામને સારવાર માટે આ પેરોલ મળ્યો છે.
પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે. હાઈકોર્ટના જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.
સજા માફી માટેની અરજી માર્ચમાં ફગાવી દેવામાં આવી હતી
માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આસારામે સુપ્રીમ કોર્ટને સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.