આજે તો ગમે તેવા સેવાભાવી સજ્જનો
આજે તો ગમે તેવા સેવાભાવી સજ્જનોઅને સંસ્થાઓ સરકાર પાસેથી‘ગ્રાંટ’ ની અપેક્ષાથી જ સેવા કરે છે અને ‘ડોનેશન’ પર એમને ડોળો મંડરાતો જ રહે છે.
નાનાભાઈ ભટ્ટ ભાવનગરના કેળવણીકાર સેવાભાવી સજ્જન, આ પાછલાં વર્ષોની વાત છે, બીમાર હતા, શૈક્ષણિક સંસ્થા સાથે ગૌશાળા પણ ચલાવતા હતા. ભાવનગરના મહારાજાને એમની આર્થિક ખરાબ પરિÂસ્થતિની જાણ થઈ. મહારાજા જાતે જ નાનાભાઈને રૂબરૂ મળવા ગયા અને કહ્યું, ‘જુઓ! નાનાભાઈ ગૌ- બ્રાહ્મણ પ્રતિપાળ અમારો ધર્મ છે અને તમે આ બંનેમાં આવો છો. તમારી જે કંઈ ઈચ્છા- અપેક્ષા હોય તો કહો, રાજ્યની તિજારી તમારી મદદ માટે ખુલ્લી છે.’
નાનાભાઈ ઘડીભર તો મહારાજ તરફ જાઈ જ રહ્યા પછી બોલ્યા, ‘મહારાજ સાહેબ હું ગરીબ બ્રાહ્મણનો પુત્ર છું. આપના રાજ્યમાં આખી જિંદગી ગાળી એ લીલી વાડી વચ્ચે રહ્યો છું, આપના રાજ્યમાં મારા જેવા એક ગરીબ આવાં જ સુખ- સંતોષથી રહે, બસ, એવા આશીર્વાદ આપો!’ એટલું કહેતાં નાનાભાઈની આંખના ખૂણા છલકાયા.
ચુસ્ત ગાંધીવાદી આદર્શ ધરાવનાર નાનાભાઈની વાત સાંભળી મહારાજની પાંપણ પણ પલળી ગઈ.
– સુરેશ પ્રા.ભટ્ટ