સિક્કિમમાં ધરતી ધ્રૂજી, બિહાર સુધી અનુભવાયા આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

ગુજરાત
ગુજરાત

સિક્કિમમાં શુક્રવારે સવારે 6.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમમાં હોવા છતાં તેના આંચકા બિહારમાં પણ અનુભવાયા હતા. બિહારના કિશનગંજમાં અનેક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પણ પશ્ચિમ બંગાળના સિલીગુડીની ખૂબ નજીક હતું. આવી સ્થિતિમાં તેની અસર ભારતમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ જોવા મળી હતી. તે જ સમયે નેપાળ અને ભૂટાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. જેના કારણે જાન-માલનું બહુ નુકશાન થયું નથી. વરસાદની મોસમ દરમિયાન, પર્વતીય વિસ્તારોમાં ભૂકંપને કારણે ભૂસ્ખલનનું જોખમ વધારે છે. ભૂસ્ખલન મોટા વિનાશનું કારણ બની શકે છે. તાજેતરમાં વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.