વારાણસીમાં 2 મકાનો ધરાશાયી; રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 8 લોકોને બચાવ્યા, 1નું મોત

ગુજરાત
ગુજરાત

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બે મકાનો ધરાશાયી થયા. તેમાં 9 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાંથી 8 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર સ્થિત બંને ઘર 70 વર્ષથી વધુ જૂના હતા. વારાણસીના વહીવટી અધિકારીઓ અને NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિર તરફ જતો ગેટ નંબર ચાર બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ મુલાકાતીઓને ગેટ નંબર એક અને બે પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે.

વારાણસીમાં થયેલા આ અકસ્માતે બધાને ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. વારાણસી પ્રશાસને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.