આલવાડા ગોલિયા ગામ થી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવાર અને પશુપાલકો મુકાયા મુશ્કેલીમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારી નોંધણી પ્રમાણે રસ્તો ખુલ્લો કરી આપવા માટે ધાનેરા વહીવટી તંત્ર ને કરાઈ રજૂઆત: ધાનેરા તાલુકાના આલવાડા ગોળીયા ગામ થી નેગાલા ગામ તરફ જતો કાચો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુશ્કેલીમા મુકાયા છે. જેમાં શાળા અને આંગણવાડી એ જતા બાળકો શિક્ષણ થી વંચિત છે. જ્યારે પશુપાલકો દૂધ મંડળી સુધી પહોંચવા મા વંચિત છે. આલવાડા ગોળિયા ગામ થી નેગાલા ગામ તરફ જતો માર્ગો વર્ષો જૂનો છે. જે માર્ગ નો ઉપયોગ અનેક ખેડૂત પરિવાર કરી રહ્યા છે. જો કે છેલ્લા 2 દિવસ થી કાચા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ સ્થાનિક ખેડૂત પરિવારો એ ગત રોજ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલદાર ને રજૂઆત કરી હતી.

સ્થાનિક ખેડૂત પરિવારની માગ છે. કે જે પ્રમાણે સરકારી રેકર્ડ મા રસ્તો છે એ રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે રસ્તા ની આજુ બાજુ આવેલા ખેડૂતો એ પોતાના આપસી ઝઘડા મા રહી રસ્તો બંધ કરી નાખ્યો છે. જેના કારણે શાળા એ જતા બાળકો શાળા એ જઈ શકતા નથી બીજી તરફ આંગણવાડી કેન્દ્ર પર પણ નાના બાળકો પહોંચી શકતા નથી. જેથી સ્ત્વતરે રસ્તા બાબતે ની રજૂઆત સરકાર સાંભળે અને રસ્તો ખુલ્લો કરી આપે તેવી માગ સ્થાનિક સહિત ખેડૂતો કરી રહ્યા છે.

ખેતર તરફ નો રસ્તો બંધ કરી દેતા સ્થાનિક મહિલાઓ મા રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલક નો હોવાના કારણે ઘર થી ખેતર અને ખેતર માંથી દૂધ સ્થાનિક દૂધ મંડળી ભરાવવા માટે આવવાનું હોય છે જો કે રસ્તો બંધ કરી દેતા દૂધ ના વ્યવસાય પર અસર થઈ રહી છે. જો કોઈ આરોગ્ય બાબતે મુશ્કેલી સર્જાય તો પણ મામલો ગંભીર બને તેમ છે. જેથી સરકારી તંત્ર ખેડૂત પરિવાર ની ફરિયાદ સાંભળી રસ્તો ખુલ્લો કરાવી આપે તેવી માગ તુલસી બેનશૂટ મહિલાઓ એ કરી છે.

આજે પણ આલવાડા ગોલીયા ગામ ના અરજદારો એ ધાનેરા પ્રાંત કચેરી એ પહોંચી ફરજ પર ના શિરેસ્તેદાર ને અરજી આપી છે. આજ રીતે ધાનેરા મામલદાર ને પણ રસ્તા વિશે સર્વે નંબર પ્રમાણે ની લેખિત અરજી કરી રસ્તો ખુલ્લો થાય તેવી રજૂઆત કરી છે. આ મામલે ધાનેરા મામલદાર એ પણ તાલુકા વિકાસ અધિકારી ને રસ્તા બાબતે તપાસ કરવા માટે ભલામણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.