પોતાના કામકાજ અર્થે ઘરના છાપરા પર ચડેલા પિતાનું વીજ કરંટથી મોત
બાયડ નજીક આવેલ દખનેશ્વર ગામે 25 વર્ષીય દિનેશ રાવળ પોતાના કામકાજ અર્થે ઘરના છાપરે પોતાની દીકરી સાથે ચડ્યા હતા અને ઘરના છાપરા ઉપરથી પસાર થતી વીજ લાઇનના જીવંત વીજતારને દીકરી અડકવા જતી હતી. ત્યારે દીકરીને વીજતારથી બચાવવા જતા દિનેશ રાવળ વીજતારને અડકી જતા તરત જ દિનેશ રાવળ ને વીજ કરંટ લાગ્યો હતો અને છાપરા પર જ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટરે દિનેશ રાવળને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે બાયડ પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાયડ સીએચસી ખાતે મોકલી આપ્યો હતો.