વડગામ આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ અંતર્ગત ૧૧૦ ગામોમાં મેલેથિયોન પાવડર નો છંટકાવ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ આરોગ્ય તંત્ર એલર્ટ બની  આરોગ્ય ટીમો દ્રારા ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરાયો: વડગામ તાલુકા ના આરોગ્ય વિભાગ દ્રારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત સતર્ક બની તાલુકા ના ૧૧૦ ગામો માં મેલેથીન પાવડર નો છંટકાવ કરી તાલુકા માં ચાંદીપુરા વાયરસ ને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે ધીમા પગલે આગમન થતા રાજ્ય સરકાર દ્રારા આ વાયરસ ને લઈ સતર્ક બની છે. રાજ્ય માં ચાંદીપુરા વાયરસ ના અનેક વિસ્તારો માં ઝડપ થી પ્રસરતા આરોગ્ય તંત્ર એક્શન માં આવ્યું છે. વડગામ આરોગ્ય તંત્ર આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ  સતર્ક બની તાલુકા ના ૧૧૦ ગામો માં વિવિધ ટીમો દ્રારા આંગણવાડી , પ્રાથમિક શાળાઓ ગંદગી સહિત  આ સ્થળો ઉપર સ્થાનિક પંચાયત ના સંકલન માં મેલેથિયોન પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા ના દરેક ગામો માં વાયરસ ને લઈ સર્વે સતત કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. વડગામ તાલુકામાં એક પણ ચાંદીપુરા વાયરસ નો કેસ ન હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.