ઊંઝા ચેક રીટર્ન કેસમાં ઉનાવાના આરોપીને એક વર્ષ કેદની સજા: ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ
રકમનું વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ: ઊંઝા તાલુકાના ઉનાવા ગામે મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલ રૂપિયા ૪,૫૦,૦૦૦ પરત માંગતાં ચેક આપતા ચેક રિટર્ન થતાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ઊંઝાની કોર્ટમાં ચાલી જતાં વકીલ પી.ડી.બ્રહ્મભટ્ટની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટના ન્યાયધીશ દ્રારા સદર ગુનામાં આરીપીને તકસીર વાન ઠેરવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતા બારોટ મહેશ વ્રજલાલે ગામના સૈયદ અબ્દુલમજીદ હાજી ફકિરમિયાંને મિત્રતાના નાતે રૂપિયા ૪,૫૦,૦૦૦ ત્રણ મહિનાના સમય માટે હાથ ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી કરતા રૂપિયા ૪,૫૦,૦૦૦ નો એસ.બી.આઈ બેંકનો ચેક આપ્યો હતો.
આ ચેક રીટર્ન થતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ઊંઝા મે જીયુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ડી.જે.ભાટીની કોર્ટમાં ચાલી જતાં વકીલ પી.ડી.બ્રહ્મભટ્ટની દલીલો ધ્યાનમાં લઇ કોર્ટના ન્યાયધીશ દ્રારા સદર ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવી આરોપી અબ્દુલમજીદ હાજીફકીરમિયા સૈયદ રહે.ઉનાવાને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ચેકની રકમ રૂપિયા ૪,૫૦,૦૦૦ ની રકમ ૯ ટકા વ્યાજ સહિત દિન ૩૦ માં ચુકવવા હુકમ કર્યો છે.