આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાંદીપુરા વાયરસ ફેલાતો અટકાવવા દવા છંટકાવ કરાયો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસેડામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માગૅદશૅન મુજબ મીટિંગમાં આપેલ સુચનાઓ મુજબ તાલુકા આરોગ્ય અધિકારી સલાહ મુજબ મેડીકલ ઓફીસરની દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસેડામાં આવેલ તમામ ૪ ગામોમાં ચાંદીપુરમ વાયરસ ફેલાતો અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાઇરસનું વાહક એવી સેન્ડફ્લાય માખીનો ઉપદ્રવ અટકાવવા માટે PHC ના ૪ ગામોમાં તમામ ૮૨ કાચા ઘરોમાં મલેથીઓન દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
હાલમાં જે ચાદીપુરમ વાયરસ ફેલાય છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા સ્ત્રી અને પુરૂષ હેલ્થ વર્કર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, દ્વારા તમામ પ્રાથમિક શાળાઓમાં મુલાકાત લઈ ચાંદીપુરમ વાયરસ ના લક્ષણો, તેનો ફેલાવો, સારવાર અને રોગ અટકાયતી પગલાઓ બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત કોઈ પણ બાળક બીમારીના લીધે ઘરે હૉય તો આરોગ્ય સ્ટાફને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આર.બી.એસ.કે.ટીમ પણ દરરોજ શાળા માં જઈ હેલ્થ ચેક અપ કરે છે આ ઉપરાંત આશા દ્વારા ટીમો બનાવી ઘરે ઘરે સર્વે કરી પ્રચાર પ્રસાર કરવામો આવી રહ્યો છે.