ચાંદીપુરા વાયરસ ને લઈ રોગચાળા ને અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ,ગામડે ગામડે કરી રહ્યા છે જનજાગૃતિ અભિયાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. ત્યારે નવા વાયરસને લઈને બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. અને ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના માં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે, અને કેટલાય બાળકોનો ભોગ પણ લેવામાં આવ્યો છે. ત્યારે નવા વાયરસને લઈને  જિલ્લાના અનેક તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા સહિત દાંતીવાડા આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે, અને આરોગ્ય તંત્રની ટીમો દ્વારા માટી અને લીંપણવાળા ઘર, તિરાડ વાળા કાચાઘર, તળાવો વિગેરે જગ્યાઓ એ મેલેટીયન ડસ્ટિંગ કામગીરી કરી, રોગચાળા ને અટકાવવા ની જાણકરી ના ભાગરૂપે પત્રિકાઓ વિતરણ કરી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

આ વાયરસ જન્મથી 14 વર્ષ સુધીના બાળકોને સંક્રમીત કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસને લઈને દાંતીવાડા તાલુકાના ઝાત ગામમા પણ આરોગ્ય તંત્રે સર્વે શરૂ કર્યો છે. જેમાં ગામમાં ફીવરનો સર્વે કરતા  ફિલ્ડ સ્ટાફને પણ જીલ્લા અને તાલુકા આરોગ્ય તંત્ર દ્રારા જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. અને ચાંદીપુરા વાયરસને અટકાવવા ને લઈ તાલુકા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.