ચાંદીપુરા રોગને લઈને ઠેર ઠેર આરોગ્ય વિભાગ દ્વારા મેલેથીયોન દવાનું ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ
ચાંદીપુરા રોગને લઈને ઠેર ઠેર આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાં રૂપે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હારિજ પંથકના ગામડાંઓમાં આવેલા આરોગ્ય કેન્દ્ર સતર્ક બની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અડીયાના આયુષમાન આરોગ્ય મંદિર સાંકરા ગામમાં અત્યારે ચાલી રહેલા ચાંદીપુરમ રોગ અટકાયતી માટે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મેલેથીયોન દવાનું ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહ્યું છે. ચાંદીપુરમ રોગ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતો રોગ છે.
જે સામાન્ય રીતે ૧૪ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. જેમાં સામન્ય રીતે તાવ આવવો ઉલ્ડી થવી ઝાડા થવા ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. રોગ વિશે સાંકરા ગામના આરોગ્ય સ્ટાફ દ્વારા ગ્રામજનો, શાળાના બાળકો, આંગણવાડીના બાળકોને માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા રાખવા ગામમાં માહિતી આપી સાવચેતી એજ સલામતી રાખવા અપીલ કરાઈ હતી.