બજેટમાં કેન્દ્ર સરકારે દિલ્હી સાથે કર્યો દગો, આતિશીએ સાધ્યું નિશાન
દિલ્હીના નાણામંત્રી આતિશીએ મંગળવારે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં એક વાર ફરી રાષ્ટ્રીય રાજધાનીને દગો મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનાં નેતુત્વવાળા કેન્દ્રને કરનાં રૂપે 2.32 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કર્યા છતાં દિલ્હીને તેના ભાગનો એક પૈસા પણ નથી મળ્યો. આતિશીએ અહી એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની સરકાર અને દિલ્હી નગર નિગમ માટે અંદાજપત્રીય ફાળવણીની માંગ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્રથી એક પણ રૂપિયો ન મળ્યો. આતિશીએ કહ્યું, “ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પેશ કરાયેલ આજનું બજેટ દીલ્હીની જનતા સાથે દગો સાબિત થયો છે. આ દિલ્હીની જનતાની આશાઓ અને આકાંક્ષાઓ પર પાણી ફેરવનારું બજેટ છે.
દિલ્હીની જનતાને ન મળ્યો હક: આતિશી
તેમને વધુમાં કહ્યું કે બધી વખતની જેમ આ વખતે પણ ભાજપ-નીતિ કેન્દ્ર સરકારે દિલ્હીની જનતાને તેનો હક આપ્યો નથી. આમ આદમી પાર્ટીનાં નેતાએ કહ્યું કે દિલ્હી દેશની વૃદ્ધિનું એન્જીન છે. તે કેન્દ્રને આયકર રૂપમાં બે લાખ કરોડ રૂપિયાથી વધારે અને કેન્દ્રીય જીએસટી રૂપે 25,૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવની કરે છે. કેન્દ્રને 2.32 લાખ કરોડ રૂપિયાનો કર આપવા છતાં દિલ્હી માત્ર 20,૦૦૦ કરોડ રૂપિયા માંગ રહી હતી. જો કે, કેન્દ્રીય બજેટનો માત્ર 0.4 ટકા છે. પણ કેન્દ્રીય કરોમાં પોતાના ભાગનાં રૂપમાં એમસીડીને કોઈ પૈસા આપવામાં આવ્યા નથી.