CM યોગી અને અખિલેશ યાદવનું નિવેદન, સપા પ્રમુખે બજેટને નિરાશાનું પોટલું કહ્યું…

Business
Business

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ પેશ કર્યું. બજેટ પેશ કર્યા બાદ પક્ષ અને વિપક્ષ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. આ વચ્ચે યુપીનાં બે મોટા દિગ્ગજોનાં રીએક્શન વિષે ચર્ચા કરીશું. અમે વાત કરી રહ્યા છીએ CM યોગી અને અખિલેશ યાદવની. આ બાજુ જ્યાં સીએમ યોગીએ આ બજેટને સર્વસપર્શી કહ્યું છે તો સપા પ્રમુખ અખિલેશ યાદવે આ બજેટને નિરાશાનું પોટલું ગણાવ્યું છે.

સીએમ યોગીએ કહ્યું સર્વસ્પર્શી

સીએમ યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર લખ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં માનનીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે પ્રસ્તુત સર્વસ્પર્શી, સર્વ સમાવેશી, વિકાસોન્મુખી બજેટ 2024-25, 140 કરોડ દેશવાસિયોની આશાઓ, આકાંક્ષાઓ અને અમૃતકાલના બધા સંકલ્પોને સિદ્વ કરનારું છે. સામન્ય બજેટ 2024-25 વિકસિત ભારત-આત્મનિર્ભર ભારતનાં નિર્માણનું આર્થિક ડોક્યુમેન્ટ છે. આમાં અંત્યોદયની પાવન ભાવના, વિકાસની અસીમસંભાવના અને નવોન્મેષની નવ દ્રષ્ટિ છે.

સમગ્ર વિકાસનું સંકલ્પ

સીએમ યોગીએ વધુમાં લખ્યું કે આ બજેટમાં ગામ, ગરીબ, કિસાન, મહિલા, નૌજવાન સહીત સમાજનાં બધા તબ્બકાના સમગ્ર વિકાસનો સંકલ્પ, બધા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દ્રષ્ટિ અને વંચિતને વંચનાથી મુક્ત કરાવવાનો રોડમેપ છે. મધ્યમ વર્ગને મોટી રાહત આપતા પ્રત્યક્ષ કર પ્રણાલીનાં સંબંધમાં નવી જોગવાઈઓની ઘોષણા સ્વાગત યોગ્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.