ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા IAS અધિકારીની પત્નીએ કર્યું સુસાઈડ
ગાંધીનગરમાં એક IAS અધિકારીની પત્ની રવિવારે ઝેરી દવા ઘટઘટાવી દીધી છે. જાણકારી અનુસાર IAS ની પત્ની તમીલનાડુનાં એક ગેંગસ્ટર સાથે ભાગી હતી. અને એક બાળકનું અપહરણ મામલામાં તેનું નામ સામે આવ્યું હતું. IAS ની પત્નીનું નામ સુર્યા જે હતું. ઝેરી દવા પીધા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું કરુણમોત થયું હતું.
પોલીસ જણાવ્યું કે IAS અધિકાર રણજીત કુમાર પત્નીથી નારાજ હતા અને એવામાં તેમને સ્ટાફને આદેશ આપ્યો હતો કે તેની પત્ની ઘર ન આવવી જોઈએ. જણાવી દઈએ કે રણજીત કુમાર ગુજરાત રેગ્યુલેટરી કમિશનના સચિવ છે. જ્યાં એક પોલીસ અધિકારી જણાવ્યું કે IAS રણજીત કુમાર તલાકનું પેપર બનાવવા માટે શહેર બહાર ગયા હતા.
દવા પીને કર્યો 108 ને ફોન
વધુમાં જણાવી દઈએ કે IAS ની પત્નીએ અદંર આવવાની કોશીશ કરી હતી પણ સ્ટાફ દ્વારા તેને અદંર આવવા દીધી ન હતી. જેનાથી હેરાન થઇ સુર્યા જે ઝેરી દવા પીને 108 ને કોલ કર્યો. મામલામાં ગાંધીનગરના એસપી રવિ તેજાએ જણાવ્યું કે સૃયા જેની પાસે પોલીસને તમિલમાં લખેલ એક સુસાઈડ નોટ પણ મળી હતી. જો કે, આ સુસાઈડ નોટની જાણકારી આપવાની ના પાડી છે.