સુઇગામની મમાણા પ્રાથમિક શાળામાં ચાંદીપુરા વાઈરસ સંદર્ભે જનજાગૃતિ વિષયક સમજ અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો ધીરે-ધીરે વધી રહ્યા છે. જે સંદર્ભે તકેદારીના ભાગરૂપે ગત્ તા.૧૯/૦૭/૨૦૨૪ને શુક્રવારે સુઈગામ તાલુકાના મમાણા મુકામે પ્રાથમિક શાળાના બાળકોને વિગતવાર સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. બાળકોને કાળજી રાખવા અને તકેદારી રાખવા તેમજ ઘર-ઘર સુધી સંદેશાવાહક બનવા ભલામણ કરી હતી. ચાંદીપુરા વાઈરસની જાગૃતિ અને તકેદારી રાખવાના પેમ્પલેટનું વિતરણ કરી જાહેર જગ્યાએ ચોટાડવામાં આવ્યા હતા.

સરકારની ગાઈડલાઈન અને માર્ગદર્શન હેઠળ જનવાહક બનીએ તથા પરીવાર અને આપણી આજુબાજુ પણ જાગૃતતા ફેલાવી નાગરિક ધર્મ નિભાવીએ એવી માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં મમાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.