સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, 4 બાળકોના મોતથી આરોગ્ય વિભાગમાં દોડધામ

ગુજરાત
ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં વધુ એક વાયરસની એન્ટ્રી થઇ છે. અહિયાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, વાયરસથી પીડિત બંને બાળકો હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસને લઇ ગાંધીનગર ખાતે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના અગ્રણીની બેઠક યોજાવાની છે. જેમાં ચાંદીપુરા વાયરસને રોકવા માટે એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવશે. સાથે ચાર મૃતકોના ઘરે આરોગ્ય વિભાગ એ સર્વેલન્સ શરૂ કર્યું છે.

આ અંગે માહિતી આપતાં સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈએ ત્યાં ચાર બાળકોના મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી. જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા.

સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલ્લી જિલ્લાના હતા, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે. સુતરિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનના સત્તાવાળાઓને શંકાસ્પદ વાઇરલ ઇન્ફેક્શનના કારણે બાળકના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી છે.

ચેપને રોકવા માટે, જિલ્લા અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડફ્લાયને મારવા માટે ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.