મોટા સમાચાર: ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબરી, 24,700 કાયમી શિક્ષકોની થશે ભરતી
ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે . રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની મળેલી બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, ત્યારબાદ સરકારી ઉંઘ ઊડી હોય એવું લાગી રહ્યું છે.