શું આજે CM કેજરીવાલને મળશે રાહત? કોર્ટમાં રજૂ કરશે CBI
આજે CBIદિલ્હીના CM અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. CBIએ દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી અને કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા અને CBIના રિમાન્ડ શનિવારે પૂરા થઈ રહ્યા છે અને તપાસ એજન્સી તેમને આજે કોર્ટમાં રજૂ કરશે.CBIએ કોર્ટને કેજરીવાલને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો.
આજે આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેની સામે આમ આદમી પાર્ટી (AAP) શનિવારે સડકો પર ઉતરશે અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટે દારૂના કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા અને બીજા જ દિવસે ED હાઈકોર્ટ પહોંચી કેજરીવાલના જામીન પર સ્ટે લઈ લીધો હતો. આ કેસમાં જામીન પરનો પ્રતિબંધ હાઈકોર્ટ દ્વારા હટાવવાની હતી ત્યારે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી હતી.