દિલ્હીના જળ મંત્રી આતિષીના ઉપવાસનો અંત, તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા
દિલ્હીમાં જળ મુદ્દાને લઈને ઉપવાસ પર બેઠલા જળ મંત્રી આતિશીની તબિયત બગડતા ઉપવાસનો અંત આવ્યો છે, તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં પાણીની સમસ્યા વણસી રહી છે. જો કે પાણીનો મુદ્દો લઈને દિલ્હીનાં જળ મંત્રી આતિશી આગળ આવ્યા હતા. જો કે, તેમને પાણી ન મળે ત્યાર સુધી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર આતિશી બેઠા હતા. જો કે ચાર દિવસ બાદ આતિશીની તબિયત બગડી ગઈ હતી. ત્યારે વધુ તબિયત બગડતા તેમનાં આ ઉપવાસનો અંત આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.