![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/saro.png)
સરકારી મહિલા કર્મચારીઓ માટે 180 દિવસની પ્રસૂતિ રજા, 50 વર્ષ જૂના નિયમમાં બદલાવ
કેન્દ્ર સરકારે સરોગસી સંબંધિત 50 વર્ષ જૂના નિયમમાં સુધારો કરીને મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, 1972માં કરાયેલા ફેરફારો અનુસાર, સરોગસી દ્વારા જન્મેલા બાળકને ઉછેરનાર માતા બાળકની સંભાળ રાખવા માટે રજા લઈ શકે છે અને પિતા પણ 15 દિવસની પિતૃત્વ રજા લઈ શકે છે.
સુધારેલા નિયમોમાં શું ખાસ છે
કર્મચારી રાજ્ય મંત્રાલય દ્વારા સૂચિત કરાયેલા સુધારેલા નિયમો કહેવામાં આવ્યું છે કે, સરોગસીના કિસ્સામાં, સરોગેટ તેમજ માતાને, જેમના બે કરતાં ઓછા જીવિત બાળકો છે, જો તેમાંથી એક અથવા બંને સરકારી સેવક હોય તો તેમને 180 દિવસની પ્રસૂતિ રજા આપવામાં આવી શકે છે. નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, સરોગસી દ્વારા બાળક થવાના કિસ્સામાં, પિતા, જે સરકારી કર્મચારી છે, જેમને બે કરતાં ઓછા જીવિત બાળકો છે, તેમને બાળકની જન્મ તારીખથી છ મહિનાની અંદર 15 દિવસની પિતૃત્વ રજા આપી શકાય છે.
અત્યાર સુધી સરોગસી કેસમાં રજાની જોગવાઈ નહોતી
અત્યાર સુધી સરોગસી દ્વારા બાળકના જન્મના કિસ્સામાં સરકારી મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા આપવાનો કોઈ નિયમ નહોતો. આ નિયમો 18 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. તે જણાવે છે કે સરોગસીના કિસ્સામાં, જે માતાને બે કરતાં ઓછા જીવિત બાળકો હોય તેમને બાળ સંભાળ રજા આપવામાં આવી શકે છે.