![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/koria.png)
દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ, 20 લોકોના કરૂણ મોત
દક્ષિણ કોરિયામાં એક બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા 20 લોકોના મોત થયા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. રોઇટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયામાં સોમવારે લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આગની જ્વાળાઓ ઘણી ઉંચાઈ સુધી ઉછળતી જોવા મળી હતી. બચાવ કામગીરી દરમિયાન 20 લોકો ગુમ થયા હતા. બાદમાં આ તમામ 20 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
Tags india Rakhewal south korea