તમિલનાડુ લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત, 156 લોકો સારવાર હેઠળ
તમિલનાડુમાં કલ્લાકુરિચી હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 57 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 156 લોકો અનેક સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કુલ 110 લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે 12 લોકોને પુડુચેરીમાં દાખલ કરવામાં આવ્યા છે, 20 લોકોને સાલેમમાં અને 4 લોકોને વિલ્લુપુરમની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહ્યા છે.
સરકારી કલ્લાકુરિચી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે સાલેમની સરકારી મોહન કુમારમંગલમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 18 લોકોના મોત થયા છે. પુડુચેરીમાં, સરકારી વિલ્લુપુરમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 4 લોકો અને જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER)માં 3 લોકોના મોત થયા છે.