આંધપ્રદેશનાં પૂર્વ CM વાયએસ જગન રેડ્ડીની પાર્ટીના નિર્માણાધીન કાર્યાલય પર ચાલ્યું બુલડોઝર, જુઓ Video
આંધ્રપ્રદેશની સત્તા ગુમાવતાં જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી આંચકા બાદ આંચકાનો સામનો કરી રહ્યા છે. રાજધાની અમરાવતીમાં નિર્માણાધીન YSR કોંગ્રેસ કાર્યાલય પર ચંદ્રબાબુ નાયડુનું બુલડોઝર ચાલ્યું છે. YSRCPના વડા જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી પર બદલાની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરાવતી કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ શનિવારે કડક સુરક્ષા વચ્ચે તાડેપલ્લીમાં નિર્માણાધીન YSRCP ઓફિસ બિલ્ડિંગને તોડવાનું શરૂ કર્યું છે. તાડેપલ્લીમાં નવા વાયસીપી પાર્ટી કાર્યાલય પાસે નિર્માણાધીન બિલ્ડીંગમાં વહેલી સવારે ડિમોલિશનનું કામ શરૂ થયું હતું. થોડા દિવસોમાં પૂર્ણ થનાર આ ઈમારતને ખોદવાના મશીન અને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવી રહી છે. આજે સવારે 5:30 કલાકે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
YSR કોંગ્રેસ પર કોર્ટની અવમાનનાનો આરોપ
YSR કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે બાંધકામ હેઠળની ઑફિસને તોડી પાડવામાં આવી રહી હતી જ્યારે YSRCPએ CRDAના પ્રારંભિક પગલાંને પડકારતાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે ડિમોલિશનની કોઈપણ પ્રવૃત્તિ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. YSRCPના વકીલ દ્વારા સીઆરડીએ કમિશનરને આ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટના તિરસ્કારમાં તેને તોડી પાડવામાં આવી રહ્યું છે.