અધીર રંજન ચૌધરીએ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું
અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પક્ષના નબળા પ્રદર્શનના કારણોની સમીક્ષા કરવા સમિતિના રાજ્ય એકમની બેઠક બોલાવવામાં આવી હતી. જો કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે નહીં તે અંગે કોંગ્રેસ નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમના અનુગામી કોણ હશે તેના પર પહેલેથી જ અટકળો ચાલી રહી છે.
પોતાના રાજીનામાની પુષ્ટિ કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘જ્યારથી મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ત્યારથી કોઈ પ્રદેશ અધ્યક્ષ નથી. હવે જ્યારે પૂર્ણકાલીન પ્રમુખની નિમણૂક કરવામાં આવશે, ત્યારે તમને બધાને આ ખબર પડશે.
Tags adhir ranjan india Rakhewal