દિવાળી પછી ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ કરવાની ચર્ચા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોનાને કારણે બંધ થઇ ગયેલી શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હવે રાજ્યમાં ધીમે ધીમે રોજગાર-ધંધા થાળે પડી રહ્યા છે, બજારો પણ શરૂ થઈ રહ્યાં છે, એ સંજોગોમાં હવે શાળાઓ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલુ થઈ છે. દિવાળી બાદ ધોરણ 9થી12 શરૂ કરવા, એ પણ ઓડ-ઇવેન જેવી પદ્ધતિ સાથે શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ગામડાંમાં પણ માધ્યમિક શાળા શરૂ કરવાની વાત ચાલી રહી છે.

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાના મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ તબક્કામાં ચર્ચાઓ શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. આમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં એવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના સંકેતો આપ્યા છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી પણ સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.