‘જ્યારે પણ મોકો મળશે ત્યારે સરકાર પાડી દઈશ’, રાહુલ ગાંધીનો દાવો
નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી વિપક્ષી નેતાઓ સતત પ્રહારો કરી રહ્યા છે. સાંસદ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની સંખ્યાત્મક તાકાતને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. પરંતુ તેમણે તાજેતરનું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. બિઝનેસ અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ઘણી નબળી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે પણ તેમને તક મળશે, તેઓ સરકારને ઉથલાવી દેશે.
રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે મોદી સરકારના કેટલાક નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો છે કે મોદી કેમ્પમાં ભારે અસંતોષ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક જાળવી રાખી છે. લોકસભા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે તેમનું રાજીનામું 18 જૂનથી સ્વીકારવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંને બેઠકો પર નિર્ણય જાહેર કર્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ પેટાચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ જીતેલી બેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ, નીચલા ગૃહમાં કોંગ્રેસની સંખ્યા હવે 98 પર પહોંચી ગઈ છે. વાયનાડ બેઠક 18મી લોકસભાની પહેલી બેઠક હશે જ્યાં પેટાચૂંટણી યોજાશે.
Tags india Rahul Gandhi Rakhewal