મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું કે ભૂલથી બનેલી સરકાર લાંબો સમય નહીં ટકે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ bjpના નેતૃત્વવાળી NDA સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે આ સરકાર ભૂલથી બની છે અને લાંબો સમય નહીં ચાલે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ કંઈ નવું કહી રહ્યા નથી. તેઓ માત્ર પીએમ મોદીના શબ્દોનું પુનરાવર્તન કરી રહ્યા છે. ખુદ પીએમ મોદીએ તેને ખીચડી સરકાર ગણાવી છે. જો સ્પષ્ટ બહુમતી ન હોય તો સરકાર કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી.
એનડીએ ગઠબંધનમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે. TDP 16 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. જેડીયુના 13 અને ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ) પાસે પાંચ સાંસદો છે. NDA પાસે શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અન્ય પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે કુલ 293 સાંસદો છે. એકંદરે, TDP અને JDU કિંગમેકરની ભૂમિકામાં છે અને જો આ બંને પક્ષો પોતાનું સમર્થન પાછું ખેંચે તો NDA સરકાર પડી જવાનો ભય રહેશે. જો કે, બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓને પીએમ મોદીમાં પૂરો વિશ્વાસ છે અને બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વર્તમાન સરકાર અને એનડીએ ગઠબંધનની સાથે મક્કમપણે ઊભા છે.
કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓએ લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા એલાયન્સની રચના કરી હતી. આ ગઠબંધન પાસે કુલ 231 બેઠકો છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. આ સિવાય સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ આ ગઠબંધનનો હિસ્સો છે. આરજેડી અને ડીએમકે જેવી પાર્ટીઓ પણ કોંગ્રેસ સાથે છે. બીજી ઘણી નાની પાર્ટીઓ પણ કોંગ્રેસ સાથે છે.
Tags india mallikarun Rakhewal