![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/બનાસકાંઠા-સાયબર-પા્.jpg)
બનાસકાંઠા સાયબર ક્રાઈમ દ્વારા દાંતીવાડા આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓની લોકજાગૃતિ માટે સેમિનાર યોજ્યો
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા દાંતીવાડા ખાતે આઈ.ટી.આઈ તાલીમાર્થીઓ સાથે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અર્થે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી સાયબર ક્રાઇમના અનેક બનાવો સામે આવતા હોય છે. જેને લઈ બનાસકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઠેર ઠેર જગ્યાએ શાળા કોલેજો આઈ.ટી.આઈ સહીત અનેક જગ્યે લોકજાગૃતિ સેમીનાર થકી લોકો ને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં દાંતીવાડા ખાતે આવેલ ITI માં તાલીમાર્થીઓ સાથે લોક જાગૃતિ સેમીનાર સાઇબર ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું તેમજ તેના પ્રકારો સાઇબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ, સાયબર ફ્રોડના રોજબરોજ બનતા બનાવો, સાયબર ફ્રોડનો બનાવ બને તો શું કરવું જોઈએ જેવા મુદ્દાઓ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું.