મકાનના પાયોનું ખોદકામ દરિમયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા મળી આવી
ચાણસ્માના વસાઈ ગામે મકાનના પાયાના ખોદકામ દરમિયાન પ્રતિમા મળી: ઐતિહાસિક પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે એક મકાનના પાયોનું ખોદકામ દરિમયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા મળી આવી હતી. ભગવાનની પ્રતિમા મળી તેવા સમાચાર મળતા ગ્રામજનો પ્રતિમા જોવા એકત્ર થઈ ગયા હતા.
પાટણ ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ ઉજાગર થઈ રહ્યો છે. અગાઉ પાટણ નજીકના વડલીમાં ઉત્ખનન હાથ ધરાતાં પ્રાચીન બાંધકામોના અવશેષો મળી આવ્યા હતા.ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે શનિવારે વાઘેલા ખુમાનસિંહનું પોતાનું મકાન બનાવી રહ્યા છે.ત્યારે તેમના મકાનનું પાયાનું ખોદકામ ચાલુ રહી હતું. ત્યારે મકાનના પાયામાં ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળતા ગ્રામ જાણો એકત્ર થયા હતા. અને મકાન ના પાયામાંથી મળેલી ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમાને પાયામાંથી બહાર કાઢવામાં આવી હતી.