31 ઓક્ટોબરની PM મોદીની મુલાકાતને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે

ગુજરાત
ગુજરાત

કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 17 ઓક્ટોબરથી ખોલ્લુ મૂકવામાં આવ્યું છે, પરંતુ, ફરી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીની 31 ઓક્ટોબરની મુલાકાતને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જંગલ સફારી પાર્કને પણ 21 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરથી ખોલવામાં આવી હતી અને અને આજે બીજા જ દિવસે અંદાજે બે હજાર કરતા પણ વધારે પ્રવાસો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે આવ્યા હતા અને વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું પણ એડવાન્સ બુકિંગ થઇ ગયું હતુ, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારને 27 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવશે અને 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે બંધ કરી રાખવામાં આવશે અને 2 નવેમ્બરે સોમવાર હોવાથી 3 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જંગલ સફારી પાર્કને હાલમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે તેને પણ 21 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવે એવી શક્યતા છે. કારણ કે હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને આજે આકર્ષણો ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવે છે, પરંતુ, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 21 થી 2 નવેમ્બર સુધી જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને બંધ રાખવામાં આવે એવી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કારણે 6 મહિના બાદ આજે સ્ટેચ્યૂ ઓફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો હાલમાં ધસારો થઇ રહ્યો છે. ગત સિઝનની વાત કરી તો ગત સિઝનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 40 લાખથી વધારે પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ, આ વખતે 6 મહિના જેટલા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહ્યું છે, એક અંદાજ મુજબ 15 લાખથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.