![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/colour.png)
Cricket/ ગંભીરે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે મારો અને વિરાટનો સંબંધ મસાલા માટે નથી
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું છે. જેની ચારેબાજુ ખૂબ ચર્ચા થઈ રહી છે. ગૌતમ ગંભીરને ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ તરીકે જોવામાં આવી રહ્યો છે. IPL ફાઇનલ મેચ બાદ ગંભીરે BCCI સેક્રેટરી જય શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
જે બાદ તેના માટે ભારતીય ટીમના કોચ બનવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. ગૌતમ અને વિરાટ વચ્ચેના સંબંધોની વારંવાર ચર્ચા થતી રહે છે. ગયા વર્ષે આઈપીએલમાં આરસીબી અને લખનૌ વચ્ચે બંને ખેલાડીઓ વચ્ચે ઘણો વિવાદ થયો હતો.
કોહલી પર ગંભીરે શું કહ્યું?
KKRને ચેમ્પિયન બનાવ્યા બાદ ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું છે. ગંભીરે કહ્યું કે લોકોની ધારણા સત્યથી દૂર છે. ગૌતમે કહ્યું કે દેશને મારા અને વિરાટના સંબંધો જાણવાની જરૂર નથી.
ગંભીરે કહ્યું કે મારી ટીમને જીતાડવામાં મદદ કરવાનો મારા જેટલો જ અધિકાર કોહલીને છે. મારી અને કોહલી વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે અમે કોઈને પણ મસાલો આપી શકીએ. ગૌતમે ઈન્ટરવ્યુમાં કોહલીની સિક્સર મારવાની ક્ષમતાના વખાણ કર્યા છે.
ગંભીર કોચ બનવાની રેસમાં ઘણો આગળ છે
ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના કોચનું પદ ખાલી થઈ રહ્યું છે. જેના માટે BCCIએ અરજી આપી હતી. મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી. આ માટે કયા પૂર્વ ખેલાડીઓએ અરજી કરી છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. IPLની ફાઈનલ મેચ બાદ ગૌતમ ગંભીર અને BCCI સેક્રેટરી જય શાહ સાથે મુલાકાત થઈ હતી. ત્યારથી ગૌતમને મુખ્ય કોચ બનાવવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે.